Sunday, 7 June 2026

ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનની બદલી થતા ભવ્ય વિદાયમાન અપાયું

ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનની બદલી થતા ભવ્ય વિદાયમાન અપાયું

ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનની બદલી થતા ભવ્ય વિદાયમાન અપાયું

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા- જીટોડીયા ખાતે છેલ્લા પાંચ વર્ષથી ચર્ચના મુખ્ય સભા પુરોહિત તરીકે પોતાની સેવા આપતા ફાધર જગદીશ મેકવાનની તાજેતરમાં બિશપ શ્રી દ્વારા બદલી કરવામાં આવતા તેઓને ખેડા જિલ્લાના માતર ખાતે મુખ્ય સભા પુરોહિત તરીકે મૂકવામાં આવ્યા છે. 

ચાવડાપુરા ચર્ચ ખાતે ફાધર જગદીશ મેકવાને પાંચ વર્ષ જેટલા સમય માટે પોતાની સેવા આપી છે. આ પાંચ વર્ષ દરમિયાન ફાધર જગદીશ મેકવાને ધર્મજનોને ધાર્મિક ભાથુ પીરસ્યું છે. ધર્મજનોને તેમણે વિશેષ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, સેવા, માફી અને 
ભાઈ ચારાનો સંદેશ આપ્યો હતો. 

આજે ચાવડાપુરા ચર્ચ ખાતે ધર્મજનો દ્વારા ફાધર જગદીશ મેકવાને પાંચ વર્ષ દરમિયાન તેમણે કરેલા સેવાકીય કાર્યોની નોંધ લઈને બિરદાવવામાં આવ્યા હતા અને પુષ્પગુચ્છ આપી, સાલ ઓઢાડી, સ્મૃતિ ભેટ આપીને ધર્મજનોએ ફાધર જગદીશ મેકવાન પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. 

ચર્ચમાંથી બહાર નીકળતા જ તેમની ઉપર પુષ્પોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને ધર્મજનો આ તબક્કે ફાધર પ્રત્યેના પ્રેમ અને લાગણીને કારણે હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. 

ફાધર જગદીશ મકવાને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ચાવડાપુરા તાબાના ધર્મજનો દ્વારા પુષ્કળ પ્રેમ મળ્યો છે અને આ તાબામાં સેવાકીય કાર્યો કરવામાં કોઈ તકલીફ પડી નથી. દરેક ધર્મજને સાથ અને સહકાર આપ્યો તે માટે તેમણે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી. 

આ તબક્કે નવા વરાયેલ ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર સીરીલ ડાયસ ને આવકારવામાં આવ્યા હતા. 

ફાધર જગદીશ મેકવાનના વિદાય સમારોહમાં ફાધર આરોક, ફાધર પ્રમોદ, સિસ્ટર હંસા સહિત ચાવડાપુરા જીટોડીયા તાબાના વિવિધ ગામોમાંથી પધારેલ ધર્મજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 


સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9979407774,
9879407774

Saturday, 6 June 2026

રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ ખાતે દિવ્યાંગ બહેનો માટે "સિલાઈ તાલીમ વર્ગ પ્રારંભ" કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ ખાતે દિવ્યાંગ બહેનો માટે "સિલાઈ તાલીમ વર્ગ પ્રારંભ" કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ ખાતે દિવ્યાંગ બહેનો માટે "સિલાઈ તાલીમ વર્ગ પ્રારંભ" કાર્યક્રમ યોજાયો

આણંદ, તા. 06 જૂન, 2026
રાષ્ટ્રીય અંધજન મંડળ, અમદાવાદ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દિવ્યાંગ બહેનોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાના પવિત્ર હેતુ સાથે, સમસારા ગ્રુપના CSR સહયોગથી તથા NAB આણંદ જિલ્લા શાખાના સહકારથી "સિલાઈ તાલીમ વર્ગ પ્રારંભ" કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જી. જી. જસાણી  ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દિવ્યાંગોના ઉત્થાન અને સશક્તિકરણ માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે તાલીમાર્થી દિવ્યાંગ બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં મળેલી આ અમૂલ્ય તકનો સંપૂર્ણ લાભ લઈ પોતાનું અને પોતાના પરિવારનું જીવન સ્વાભિમાનપૂર્ણ, આત્મનિર્ભર અને ઉન્નત બનાવવું જોઈએ.
જાણીતા સમાજસેવિકા તથા જાગૃત મહિલા સંગઠનના સ્થાપક પ્રમુખ શ્રીમતી આશાબેન દલાલે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં મળેલી આવી તકો વ્યક્તિના ભવિષ્યને નવી દિશા આપી શકે છે. તેમણે બહેનોને આત્મવિશ્વાસ, મહેનત અને સતત પ્રયત્નો દ્વારા પોતાના જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા પ્રેરિત કર્યા હતા.
વલ્લભ વિદ્યાનગર શહેર મહિલા મોરચા (BJP) ના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન દવે દ્વારા દિવ્યાંગ બહેનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હિંમત, આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમ દ્વારા જીવનના દરેક પડકારોને અવસરમાં ફેરવી શકાય છે. તેમના પ્રેરક સંબોધને ઉપસ્થિત બહેનોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ મહિલાઓના આર્થિક સશક્તિકરણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે કૌશલ્ય વિકાસ આધારિત તાલીમો દિવ્યાંગ બહેનોના જીવનમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને સ્વરોજગારીની નવી તકોનું નિર્માણ કરે છે. આ તાલીમ અંતર્ગત બહેનોને સિલાઈ કળાની વ્યવહારુ અને ગુણવત્તાસભર તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યમાં સ્વરોજગાર મેળવી પોતાના પરિવારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.સંસ્થાના આ માનવતાભર્યા પ્રયાસ અંતર્ગત તાલીમાર્થી તમામ દિવ્યાંગ બહેનોને તાલીમ દરમિયાન નિઃશુલ્ક રહેઠાણ, ભોજન તથા અન્ય આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રીય અંધજન મંડળનો આ ઉપક્રમ દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
કાર્યક્રમનું સફળ સંચાલન રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાગૃત મહિલા સંગઠનના સ્થાપક પ્રમુખ આશાબેન દલાલ, વૈશાલીબેન દવે, આનલબેન પટેલ (સોશિયલ વર્કર તથા ABVP યુથ સેક્રેટરી), જાગૃતિબેન શાહ (મેમ્બર NAB), ડૉ. ભરતભાઈ જોશી (ડેપ્યુટી ડાયરેક્ટર – BPA), વનિતાબેન (પ્રમુખ, વનીતા ટ્રસ્ટ), ડૉ. પ્રીતિબેન (પ્રિન્સિપાલ, SEMCOM), કૃણાલભાઈ શાહ (સેક્રેટરી, ક્રીડા ભારતી – આણંદ), મૌલિકભાઈ પંજાબી (પ્રચાર-પ્રસાર પ્રમુખ, ક્રીડા ભારતી), જાગૃતિબેન પટેલ તેમજ NAB પરિવારના સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં દિવ્યાંગ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય અંધજન મંડળ અમદાવાદ, સમસારા ગ્રુપ (CSR), NAB આણંદ જિલ્લા શાખા તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
"આત્મનિર્ભર દિવ્યાંગ મહિલા – સશક્ત સમાજની ઓળખ" ના પ્રેરક સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774

Friday, 5 June 2026

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે બ્રહ્માકુમારી સંસ્થા, પ્રભુ સ્મૃતિ ભવન ખાતેપર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે બ્રહ્માકુમારી સંસ્થા, પ્રભુ સ્મૃતિ ભવન ખાતેપર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે બ્રહ્માકુમારી સંસ્થા, પ્રભુ સ્મૃતિ ભવન ખાતે
પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આણંદ, તા. ૫ જૂન ૨૦૨૬: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે બ્રહ્માકુમારી સંસ્થા, પ્રભુ સ્મૃતિ ભવન, વિવેકાનંદ કોલોની, નેહરૂ બાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી  બહેનો ધ્વારા પર્યાવરણ નુ મહત્વ સમજાવામા આવ્યુ હતું.

આ અવસરે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં વિવિધ જાતના છોડ રોપવામાં આવ્યા હતા. સાથે સાથે કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને પણ વિવિધ પ્રકારના છોડ વિતરણ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના ઘરે અથવા આસપાસ હરિયાળી વધારી શકે.

આ કાર્યક્રમ દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9979407774,
9879407774
સ્પેક બી.એડ્. સેમેસ્ટર-4 નું ગૌરવ

સ્પેક બી.એડ્. સેમેસ્ટર-4 નું ગૌરવ

સ્પેક બી.એડ્. સેમેસ્ટર-4 નું ગૌરવ

     
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એડ્. સેમેસ્ટર-4 ની પરીક્ષામાં કૉલેજના પ્રશિક્ષણાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરેલ છે, જે અંતર્ગત ટોપ -10 માં 1 પ્રશિક્ષણાર્થી આવેલ છે. જે સંસ્થા માટે ખૂબ જ ગૌરવની વાત છે. યુનિવર્સીટી કક્ષાએ દસમો   ક્રમાંક અને કોલેજમાં  પ્રથમ ક્રમાંક   
  નિરાલી ચૌહાણએ પ્રાપ્ત કરેલ છે.યુનિવર્સીટીમાં  આ સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના આચાર્યશ્રી ડૉ.પ્રભાત કાસરા,આઈ.કયુ.એ.સી. કૉ-ઓર્ડીનેટર ડૉ.આરતી.પટેલ,એચ.ઓ.ડી  ડૉ.ભાવના ભાવસાર તેમજ સ્ટાફગણ દ્વારા તમામ પ્રશિક્ષણાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ સિદ્ધિ બદલ  સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774

Thursday, 4 June 2026

બ્રહ્માકુમારીઝ, પ્રભુ સ્મૃતિ ભવન,  તથા શ્રીનાથજી એક્ઝિબિશન આણંદ  ના સંયુક્ત ઉપક્રમે  પુરુષોત્તમ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું આયોજન

બ્રહ્માકુમારીઝ, પ્રભુ સ્મૃતિ ભવન, તથા શ્રીનાથજી એક્ઝિબિશન આણંદ ના સંયુક્ત ઉપક્રમે પુરુષોત્તમ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું આયોજન


બ્રહ્માકુમારીઝ, પ્રભુ સ્મૃતિ ભવન,  તથા શ્રીનાથજી એક્ઝિબિશન આણંદ  ના સંયુક્ત ઉપક્રમે  પુરુષોત્તમ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું આયોજ

બ્રહ્માકુમારીઝ, પ્રભુ સ્મૃતિ ભવન,   તથા શ્રીનાથજી એક્ઝિબિશન આણંદ ના સંયુક્ત ઉપક્રમે પુરુષોત્તમ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરમપિતા પરમાત્માના સ્મરણથી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હંસાબેન ધ્રુવ (અખિલ ગુજરાત યુવા સંગઠન પ્રદેશ મંત્રી), મનિષા શાહ (સ્પેશિયલ મીડિયા ઇન્ચાર્જ, આણંદ જિલ્લા ભાજપ મહિલા મોરચો), નિમિષાબેન જાની (નમસ્કાર ગુજરાત બ્યુરો ચીફ &  ટ્રસ્ટી-સિને મીડિયા ફાઉન્ડેશન, અમદાવાદ), ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હરીફાઈ ના ઇનામ ના દાતા પણ તેઓ હતા 

કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી બહેનો દ્વારા પુરુષોત્તમ માસનું આધ્યાત્મિક મહત્વ સમજાવતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

ત્યારબાદ શ્રીનાથજી એકઝીબીશન ના ઓનર શ્રી જયશ્રી બહેન ભટ્ટ એ  સૌ નો આભાર વ્યક્ત કરતા પોતાના વિચાર ની રજુઆત કરી

ભજન હરીફાઈ નુ સંચાલન ડૉ હર્ષા બેન ગઢવી એ કર્યુ હતુ 

આ ભજન સ્પર્ધામાં કુલ ૬ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ ૩ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા અને દરેક ટીમે સુંદર રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

સ્પર્ધાના નિર્ણયાક તરીકે જયશ્રીબેન ગાંધી અને વિશાલભાઈ રાજેન્દ્રભાઈ મિસ્ત્રી સેવા આપી હતી 
આ હરીફાઈ મા પ્રથમ નંબરે રાધે રવિ મંડળ દ્વિતીય નંબરે જલારામ મંડળ અને તૃતીય નંબરે શ્રી જય અંબે મંડળ આવ્યા હતા તેમજ દરેક મંડળ ને આષવાષન ઇનામ પણ આપયા હતા 
   
સ્પર્ધા દરમિયાન ઉપસ્થિત સૌ માટે તાજગીભર્યા ઠંડાપીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

 પરિણામોની જાહેરાત બાદ બી.કે. સંધ્યા દિદીએ પ્રેરણાદાયક ભાષણ આપ્યું . 

કાર્યક્રમના અંતે બ્રહ્માકુમારી બહેનો દ્વારા ધ્યાન (મેડિટેશન) શીખવવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનો સમાપન વૃક્ષોના રોપા તથા પ્રભુ પ્રસાદના વિતરણ સાથે કરવામાં આવ્યો.

આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આધ્યાત્મિકતા અને ઉત્સાહથી ભરપૂર રહ્યો હતો.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9979407774,
9879407774

Wednesday, 3 June 2026

કોમી એકતાના પ્રતિક હજરત ગેબનશા પીર દાદા નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ની આન બાન શાન સાથે શાનદાર ઉજવણી

કોમી એકતાના પ્રતિક હજરત ગેબનશા પીર દાદા નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ની આન બાન શાન સાથે શાનદાર ઉજવણી

કોમી એકતાના પ્રતિક 
હજરત ગેબનશા પીર દાદા નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ની આન બાન શાન સાથે શાનદાર ઉજવણી


 હજરત ગેબનશા પીર દાદા નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ની આન બાન શાન સાથે શાનદાર ઉજવણી.
 કોમી એકતાના પ્રતિક આણંદ ના સારસા ચોકડી થી રાસનોલ તરફ જતા વચ્ચે ઘોડાપુરા પાટીયા તરફ હજરત ગેબનશા પીર દાદા નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ની બકરાઈદ ના બીજા દિવસે આન બાન શાન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી.દરગાહ ના ખાદિમ સફીભાઈ એ જણાવ્યું હતું કે તમામ અકિદતમન્દો તેમજ શ્રધ્ધાળુઓ એ નીયાઝ નો લાભ લીધો હતો.
સંકલન:કલ્પેશ પટેલ,આણંદ
મો-9979407774,
9879407774

Saturday, 9 May 2026

ડૉ. જયેન મહેતા સર્વાનુમતે સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન (SPCDF) ના ચેરમેન તથા  સંગ્રામ ચૌધરી વાઇસ-ચેરમેન તરીકે ચૂંટાયા

ડૉ. જયેન મહેતા સર્વાનુમતે સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન (SPCDF) ના ચેરમેન તથા સંગ્રામ ચૌધરી વાઇસ-ચેરમેન તરીકે ચૂંટાયા



ડૉ. જયેન મહેતા સર્વાનુમતે સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન (SPCDF) ના ચેરમેન તથા  સંગ્રામ ચૌધરી વાઇસ-ચેરમેન તરીકે ચૂંટાયા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જયેન મહેતાને 05 મે 2026ના રોજ અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ (SPCDF) ના પદાધિકારીઓની ચૂંટણીમાં સર્વાનુમતે ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન  અશોક ચૌધરી દ્વારા તથા સમર્થન અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. 
બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના પ્રતિનિધિ  સંગ્રામ ચૌધરીને SPCDF ના વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે.
આ નવી બહુ-રાજ્ય સહકારી સંસ્થાના ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત ભારત સરકારના સહકાર મંત્રાલય હેઠળનાં સહકારી ચૂંટણી સત્તામંડળ, નવી દિલ્હી દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર તેમજ ગાંધીનગરના કલેક્ટર,  રવિન્દ્ર ડી. ખટાલે, IAS દ્વારા કરવામાં આવી હતી. SPCDF ના બાયલોઝની કલમ ૩૯ મુજબ બંને પદાધિકારીઓ 05 મે 2026થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ૫ વર્ષના કાર્યકાળ સુધી પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે.
SPCDF ના બોર્ડમાં GCMMF તથા તેના 10 સભ્ય દુધ સંઘોના એક-એક પ્રતિનિધિ ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સહકારી દુધ મંડળીઓના 3 પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. 
SPCDF નું ઉદ્દઘાટન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા 06 જુલાઈ 2025ના રોજ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારના નવા સહકાર મંત્રાલયની રચનાના ચોથા વર્ષ, આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અને ૧૯૪૦ના દાયકામાં અમૂલ ડેરીની રચનાને પ્રેરણા આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી સાથે સંયોગમાં યોજાયો હતો.
SPCDF નો હેતુ 20 રાજ્યોના 20,000થી વધુ ગામોના 20 લાખથી વધુ દુધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાતની બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડવાનો છે, જેથી ખેડૂતોને દુધના વ્યાજબી ભાવ, સમાન મતાધિકાર, આધુનિક સેવાઓની ઉપલબ્ધતા તથા લોકશાહી આધારિત સહકારી વ્યવસ્થાના લાભો પ્રાપ્ત થઈ શકે. GCMMFનુ મજબૂત મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતા તથા દુધ સંઘોની કામગીરીના સહયોગથી SPCDF ગામડાંની સહકારી દુધ મંડળીઓથી લઈને દેશભરના ગ્રાહકો સુધી રાષ્ટ્રીય સહકારી ડેરી નેટવર્કને વધુ મજબૂત બનાવશે. 
આ પહેલ માનનીય પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહના “સહકારથી સમૃદ્ધિ” તથા “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. જેનો હેતુ દુધ ઉત્પાદક ખેડૂતોને સશક્ત બનાવવા, સહકારી આંદોલનનો વિસ્તાર કરવો, મૂલ્યવર્ધન વધારવું તથા ખેડૂતકેન્દ્રિત વિકાસ દ્વારા ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવાનો છે.
ડૉ. જયેન મહેતા તથા  સંગ્રામ ચૌધરીના નેતૃત્વ હેઠળ SPCDF દ્વારા સહકારી ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની તથા “સહકારથી સમૃદ્ધિ” ના વિઝનને વેગ આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદ્દેદારોએ ભારત સરકારના માનનીય ગૃહ અને સહકાર મંત્રી આમિત શાહ, ભારત સરકારના સહકાર મંત્રાલય, ગુજરાત સરકાર તેમજ GCMMF અને SPCDF ના બોર્ડ સભ્યો દ્વારા તેમના પર મુકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા દેશભરના દુધ ઉત્પાદકોના સશક્તિકરણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9897407774,
9979407774

Saturday, 2 May 2026

રાજ્ય સરકારના પેન્શનરો માટે ખુશખબરતા.01 મે થી 31 જુલાઈ,2026 દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે હયાતી માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર

રાજ્ય સરકારના પેન્શનરો માટે ખુશખબરતા.01 મે થી 31 જુલાઈ,2026 દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે હયાતી માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર

રાજ્ય સરકારના પેન્શનરો માટે ખુશખબર
તા.01 મે થી 31 જુલાઈ,2026 દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે હયાતી માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર
***
ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી 05 લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક જીવન પ્રમાણપત્રની સુવિધા મળશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
****
આણંદ, શનિવાર:::: પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. 

આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ  કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે. 

આથી ગુજરાતના આશરે ૫ લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. આ સમજૂતી પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસીસ્ટન્ટ જનરલ મેનેજર રશ્ણવીર સિંહ તથા ગુજરાત સરકાર તરફથી નાણાં વિભાગના નિદેશક શ્રી અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા છે.

 નોંધનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં દેશભરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું પ્રારંભ કરતી વખતે “બેંકિંગ સેવાઓ તમારા દ્વાર”નું વિઝન આપ્યું હતું. એ જ વિઝનને આગળ વધારતા ગુજરાત સરકારે આ પહેલ કરી છે. આ અવસર પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ચીફ મેનેજર અભિજીત જીભકાટે અને સિનિયર મેનેજર  સંતોષ કુમાર પણ હાજર રહ્યા હતા.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત પ્રમાણિકરણ) ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને, સરળ અને સુવિધાજનક સેવા મળી શકે.

 પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પણ પેન્શન કચેરી સુધી પહોંચાડી આપવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. 

 યાદવએ વધુ માં જણાવ્યું કે ગત વર્ષે ગુજરાતમાં ૯૩ હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ડિજિટલ જીવન પ્રમાણપત્રનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાત સરકારના ૬૨ હજારથી વધુ પેન્શનધારકોએ ઘરે બેઠા આ સુવિધાનો લાભ મેળવ્યો હતો. 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ગુજરાત સર્કલના આસીસ્ટન્ટ જનરલ મેનેજર  રણવીર સિંહએ જણાવ્યું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે. 

અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવા નો લાભ મળશે. તેના માટે તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન સાથે સંપર્ક કરવો રહેશે. સાથે જ, પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી નો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ ઉપાડી શકે છે, જેના કારણે આ સેવા સંપૂર્ણપણે સુવિધાજનક અને સરળ બને છે.
*****