ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા ચાર-દિવસીય કાર્યક્રમ જ્ઞાનોત્સવ 3.0 માં હેલ્થ ઝોન વિભાગના વિવિધ વિધાર્થીઓ દ્વારા મેડીકલ ક્ષેત્રના અવનવા પ્રોજેક્ટ રજુ કરાયા છે. જેમા દંત રોગ ચિકિત્સા, ક્રિયાકલ્પ, વાત પ્રકૃતિ અને બોડી માસ ઈન્ડેક્સ (તદ્દન ફ્રી) (BMI) માપન પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. આ વિવિધ પ્રોજેક્ટના મોનિટરો દ્વારા મુલાકાતીઓને પ્રોજેક્ટના ઉપયોગ અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે. સાથે સોસાયટીમાં એક નવીન વિચાર દ્વારા કોમ્યુનિટી ફાર્મસી સ્ટોરનું મોડલ પણ રજુ કરાયું છે. જેમાં દર્દીઓને યોગ્ય કાઉન્સિલીંગ આધારિત દવા પુરી પાડતા મેડીકલ સ્ટોરની માહિતી આપવામાં આવે છે.
બાળકો અને યુવાનો માટે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) વર્કિંગ મોડલ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મોડલની મદદથી લોકોને 360 ડિગ્રીનો વિડીયો બતાવવામાં આવે છે.જેમાં દર્શકો હોરર, કોમેડી,રોલર કોસ્ટર અથવા તેમનાં મન પસંદ વિડિયોનો આણંદ માણી શકે છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં C Z પટેલ કોલેજના હોટેલ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના વિધાર્થીઓએ સાથે મળીને અલગ અલગ ડિઝાઇનો તૈયાર કરી છે. આ કાર્યક્રમમાં ઈન્ડિયા ટુરિઝમ સ્પોટના વિવિધ મોડલોની રચનાઓ બનાવવામાં આવી છે. લોટસ ટેમ્પલ અને તાજ મહેલ જેવા દિલ્હી સ્મારકો, ગેટવે ઓફ ઈન્ડિયા, સ્ટેચ્યુ ઑફ સોશિયલ જસ્ટિસ, વર્લ્ડ્સ હાઈસ્ટ રેલ બ્રિજ ઈન ચેનાબ, કોણાર્કનું સુર્ય મંદિરના મોડલો પ્રદર્શીત કરવામાં આવ્યા છે.
NVPAS કોલેજના વિધાર્થીઓએ એટમોસ્ફોરિક વોટર જનરેટર મોડલ રજુ કર્યું છે. આ મોડલના પ્રેક્ટીકલ પ્રયોગથી મુલાકાતીઓને વોટર જનરેટરનો ઈન્ડસ્ટ્રીઝમાં કેવી રીતે વપરાશ થઇ શકે તેના પર વિસ્તાર પૂર્વક માહિતી પૂરી પાડવામાં આવે છે. NVPAS કોલેજના કોમ્પ્યુટર વિભાગના વિધાર્થીઓ દ્વારા સ્માર્ટ સ્ટ્રીટલાઈટનો પોજેક્ટ પણ રજુ કરાયો છે. આ પ્રોજેક્ટમાં મેકેનિઝમ વિકસાવવામાં આવ્યું છે કે જેથી કાર, બાઈક અથવા અન્ય કોઈપણ વાહન પસાર થાય ત્યારે સ્ટ્રીટલાઈટ આપમેળે ચાલુ થઈ જશે અને વાહન પસાર થઈ ગયા બાદ ઓટોમેટિક બંધ થઈ જશે. આ સેન્સર આધારિત રડારથી કોઈ વ્યક્તિ ત્યાં થી પસાર થાય એ સમયે પણ સ્ટ્રીટલાઈટ આપમેળે ચાલુ થઈ જશે.
જ્ઞાનોત્સવમા સાઇકોલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા 7 એક્ટિવિટીસ અને 5 પ્રયોગોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં આર્ટ થેરપી, ફ્રી હગ્સ, ગીવ એંડ ટેક, નો યોર સેલ્ફ , મીરર અફરમેશન, સ્નો ગ્લો અને સ્પિન ધ વિન જેવી થેરાપીઓ મુલાકાતીઓ માટે રાખવામાં આવી છે. જ્યાં સ્ટ્રેસ, ડીપ્રેશન અને ચિંતાને દૂર કરવા સાઇકોલોજીકલ મોડેલ અને આર્ટ થેરાપી કેટલી અસરકારક છે તે વિશે મુલાકાતીઓને સમજાવવામાં આવે છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ માનસિક ચિંતા અને તણાવ કેટલી નુકસાનકારક બની શકે છે તેના વિશે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સી.વી.એમ આયોજીત જ્ઞાનોત્સવ 3.0 માં જાહેર જનતાને હાર્દિક આમંત્રણ છે.
સંકલન:કલ્પેશ પટેલ,કોમલ કુમાવત,કાજલ કંડોરિયા, વિધાનગર
મો:9879407774,
9979407774
0 comments: