Sunday, 10 November 2024

વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવમાં બાબા રામદેવ પધાર્યા

SHARE


વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવમાં બાબા રામદેવ પધાર્યા, 

સંતો સાથે શ્રીહરિમંડપની મુલાકાત લઈ ધન્યતા અનુભવી
વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવમાં અહીં ધર્મનો મહા કુંભ જોવા મળ્યો છેઃ બાબા રામદેવ
વચનામૃત છે એ જ આપણું વેદામૃત છેઃ બાબા રામદેવ

વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવમાં બાબા રામદેવ પધાર્યા, અહીં ધર્મનો મહા કુંભ જોવા મળ્યો છેઃ બાબા રામદેવ

સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલ ખાતે ભવ્ય અને દિવ્ય દ્રિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે યોગ ગુરુ બાબા રામદેવ આ મહોત્સવમાં પધાર્યા હતા. તેમણે સૌ પ્રથમ મંદિરમાં વિરાજિત દેવોના દર્શન કર્યા હતા. ત્યારે બાદ વડતાલ ગાદીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને મુખ્ય કોઠારી સંતવલ્લભ સ્વામી તથા અન્ય સંતો સાથે શ્રીહરિમંડપમાં શિક્ષાપત્રી જ્યાં લખાઈ હતી તેની મુલાકાત લીધી હતી. આ પછી સભા મંડપમાં આચાર્ય મહારાજ અને સંતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પછી બાબા રામદેવે ઉપસ્થિત ભક્તોને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે, વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવ આ એક મોટો મહાકુંભ છે. આ સંસ્કૃતિનો મહાપર્વ છે. સ્વામિનારાય ભગવાન પણ મહાયોગી હતા એટલે એમના અનુયાયીઓએ પણ યોગાભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 

સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાનીમાં વિરાજિત શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પર્વે અહીં પ્રણામ કરી આપણી સનાતનની ગૌરવશાળી પરંપરાને જે રીતે પવિત્રતા, ત્યાગ અને ગુરુભક્તિ સાથે શરણાગતિ સાથે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો એક વૈષ્ણવ પરંપરાનું એક મોટું અનુષ્ઠાન આ ધરતીથી સ્વયં ભગવાને પ્રારંભ કર્યો આજે તે અનુષ્ઠાન આખા વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યો છે. તેના 200 વર્ષની પૂર્તિ હેતુ આ એક મોટો મહાકુંભ છે. આ સંસ્કૃતિનો મહાપર્વ છે. 

મારી યોગની યાત્રાની શરૂઆત સુરતથી થઈ હતી એટલે ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે. અત્યારે સનાતનનો ગૌરવકાળ ચાલી રહ્યો છે અને આ કાળમાં અમે સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલમાં દ્રીશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અહીં ધર્મનો મહા કુંભ જોવા મળ્યો છે. આની સ્મૃતિઓ આપણા મનમાં અંતિમ શ્વાસ સુધી રહેશે જ. નાના બાળકો પણ સો વર્ષ સુધી દ્રિશતાબ્દી મહોત્સવને યાદ રાખશે. સ્વામિનારાયણ ભગવાને દરેક જ્ઞાતિના લોકોનો ઉદ્ધાર કર્યો, એકત્વ જોવું હોય તો શિક્ષાપત્રી અને વચનામૃતમાં જોવા મળે છે. 

મેં 30 વર્ષ પહેલાં શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો છે. શિક્ષાપત્રી વાંચ્યા પછી જ મને ગુજરાતી બોલતા આવડ્યું છે. દરેક સનાતન ગ્રંથોનો સાર શિક્ષાપત્રીમાં મને વાંચવા મળ્યો છે. જે વચનામૃત છે એ જ આપણું વેદામૃત છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટું તત્ત્વ સુચિતા પૂર્ણ આચરણ અને સાધુમાં પૂર્ણ તપશ્ચર્યાનું આચરણ તથા સ્વધર્મ માટે પોતાનું સર્વસ્વ આહૂત કરવાની શ્રદ્ધા આ દરેક બાબતે મેં જોઈ છે. આ બધું જીવનમાં આત્મસાત કરી લઈએ તો ધર્મ આપણા જીવનમાં અવતરિત થઈ જાય છે.

સંકલન:કલ્પેશ પટેલ, વડતાલ
મો:9879407774,
9879407774
SHARE

Author: verified_user

0 comments: