પેટલાદ ૧૧૩ વિધાનસભા મતવિસ્તારના રૂપિયાપુરા ગામે ઝોનલ અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ માટે ઈ.વી.એમ વોટિંગ મશીન નિદર્શન માટે મુકાયા.
વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે. તે પુર્વે વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે પેટલાદ વિધાનસભાના મત વિસ્તારના ગામોમાં ઈ.વી.એમ. નિદર્શન માટે મુકવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને અનુલક્ષીને પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના વિવિધ વિસ્તારોમાં ઝોનલ અધિકારીઓ દ્વારા મતદારને એકત્રિત કરીને મતદાનના દિવસે મતદાન કેવી રીતે કરવું, ઈ.વી.એમ મશીન કઈ રીતે કામ કરે છે જેવી સમજ આપી હતી.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: