તીર્થધામ ખંભોળજ ખાતે તાડપત્રનો રવિવાર
અનાથોની માતાનું તીર્થધામ માં ભવ્ય સરઘસ
જુના દેવાલયના થી મોટા દેવાલય સુધી નું આયોજન રેવ. ફાધર લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. 6.00કલાકનો ખ્રિસ્ત યજ્ઞ સભા પૂરોહિત દ્વારા ત્યારબાદ 8 :30 કલાક નો યજ્ઞ પહેલા જુના દેવાલયના ચોકમાં એક દિવસ પહેલા ખજુરી ની ડાળીઓ કાપી લાવીને મૂકવામાં આવી હતી આશીર્વાદ વિધિ નું સંચાલન મદદનીસ સહાયક પુરોહિત રેવ. ફાધર લિયો દ્વારા કરવામાં આવ્યું તાડપત્રો ઉપર આશીર્વાદ આપ્યા બાદ ભજનો સાથે કતારમાં ભક્તો ચાલ્યા. આ વિધિમાં ફાધરો, સિસ્ટરો, વેદિસેવકો, ધર્મજનો સાથે મળીને જોડાયા ઈસ્ટર પહેલા નુંઆ અઠવાડિયું ખૂબ જ અગત્યનું અઠવાડિયું છે મોટી સંખ્યામાં પેરિસના ગામડાના તથા અનાથોની માતાના ભકતોએશ્રદ્ધા પૂર્વક ભાગ લીધો મોટા અવાજે ભજનો ગાતા ગાતા હાથમાં તાડપત્ર લઈને આ પવિત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી. બાઇબલ જણાવે છે કે આ દિવસે પ્રભુ ઈસુ ગધેડા ઉપર બેસીને સવારી કરી હતી ત્યારે ધર્મજનો એ ઝાડની ડાળીઓ લાવી પાંથરી હતીતેના ઉપર ઈસુ ચાલતા હતા. લોકો મોટે થી બોલતા હતા કે દાવિદ ના પુત્ર નો જય હો.. જય હો પ્રભુ ઈસુ એ ઈઝરાયેલમાં પ્રણય કયું યેરુસાલેમ ના પૂર્વ ના કોટ ફરતે પ્રવેશ કર્યો હતો તે દિવસને યાદ કરી તાડપત્રો નો રવિવાર ઉજવવામાં આવે છે ઈસુ એ ચિધેલાં માર્ગ તરફ આગળ વધવા માટે આહવાન કરવામાં આવે છે.અહેવાલ સંકલન ડૉ. શૈલેષ વાણીયા શૈલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આશીર્વાદ વિધિ માં જોડાયા હતા.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: