Monday, 20 April 2020

કપડવંજ તાલુકાના અંતિસર ગામમાં સેનેટરાઇઝ કરાયુ...

SHARE
કપડવંજ તાલુકાના અંતિસર  ગામમાં સેનેટરાઇઝ કરાયુ...





ચીખલોડ -સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વાયરસના સંક્રમણ થી બચવા માટે તંત્ર સજ્જ. દેશ અને દુનિયામાં માનવજાત પર કોરોનાના વાયરસની મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે જેને રોકવા માટે તંત્ર દ્ધારા સોસીયલ ડિસ્ટન્સ જેવા મહત્વના પગલાઓ જાહેર સ્થળોએ ભેગા થવા પર પ્રતિબંધ જેવા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે



 કપડવંજ તાલુકાનું અંતિસર   ગામોમાં પણ સંક્રમણને રોકવા માટેની તકેદારીના ભાગરૂપે અંતિસર ગ્રામ પંચાયત  સરપંચ મફતભાઈ પરમાર , ભા જ પ ના આગેવાન વિક્રમ દેસાઈ, કપડવંજ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી પરેશ પટેલ ની સાથે પંચાયત ના સભ્યો તેમજ આગેવાનો ની સાથે અંતિસર  ગામના તલાટી કમ મંત્રી તેજસ ગઠવી એ રવિવાર ના રોજ રઝા ના દિવસે ઉભા રહી કપડવંજ તાલુકા ના અંતિસર ગામના તમામ વિસ્તારમાં  સેનેટરાઇઝ કર્યું હતું આમ આ ગામોમાં આગેવાનો આગળ આવતા ગ્રામ્યજનોઓએ હાશકારો મેળવ્યો હતો ને સાથે કોઈપણ સેવા કાર્યો  માટે આહવાન કરવામાં આવ્યું હતું આમ હાલ જ્યારે નજીકના આણંદ જિલ્લાના મુખ્ય મથક આણંદ શહેર તેમજ ખભાત માં 20 વધુ  કેશ પોઝિટવ આવતા ની સાથે  ખેડા જિલ્લા માં પણ 2 કેશ પોઝિટિવ આવતા તંત્ર  સજાગ થઈ ગયુ છે ત્યારે કપડવંજ તાલુકાના પૂર્વ ગાળાના છેવાડા ના અંતિસર જેવા મોટા ગામો સેનેટરાઇઝ કર્યા હતા આ ગામમાં દૂધ મંડળી,સસ્તા અનાજ ની દુકાન ,ગ્રામ પંચાયત અને ધાર્મિક સ્થળો ની સાથે સમગ્ર ગામના જાહેર માર્ગો ને મકાનો આગળ વિશેષ સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું આમ આરીતે લોકડાઉન 2 માં ગ્રામીણ જનતા વધુ જાગૃતિ બતાવી સેવાકીય કર્યો પણ કરે છે અને સરકારી તંત્ર ને જનતા પૂરો સાથ આપી રહી છે

ફોટો-અજય પટેલ-ચીખલોડ
SHARE

Author: verified_user

0 comments: