Monday, 22 July 2019

વડતાલ ધામમાં પૂ.સંતોના હસ્તે હિંડોળા મહોત્સવનો પ્રારંભ

SHARE

               વડતાલ ધામમાં પૂ.સંતોના હસ્તે હિંડોળા મહોત્સવનો પ્રારંભ 





નડિયાદ -શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે રવિવારે ઢળતી સંધ્યાએ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ.જ્ઞાનજીવન દાસજી સ્વામી , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , પ.પૂ.શ્રી ગોવિંદ સ્વામી - મેતપુર , શ્રી ઘનશ્યામ સ્વામી – સાળંગપુર , પુરાણીકેશવ સ્વામી – વાપી સહિત વડીલ સંતોના વરદ હસ્તે દ્વિતીય હિંડોળા મહોત્સવ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંપ્રદાયના સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવિ હતી .

      
વડતાલ મંદિર ના આસિસ્ટન્ટ કોઠારી સંત સ્વામીએ જણાવ્યુ હતું કે ગત વર્ષે પ્રથમ હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો . જેનો 3 લાખ થી વધુ હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો . ચાલુ વર્ષે પણ રવિવાર તા. 21 મી ના રોજ દ્વિતીય હિંડોળા મહોત્સવ નું ભવ્યાતિ ભવ્ય રીતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ,પ.પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામી , ચેરમેન દેવપ્રકાશ સ્વામીસહિત સંપ્રદાય ના વડીલ સંતો ના હસ્તે અને ખાંધલી ના પ.ભ.ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ ના યજમાન પદે ઉદઘાટન કરવામાં આવ્યું હતું .


ભગવાન શ્રી હરિ એ અનેક ઉત્સવો કર્યા હતા જેમાં હિંડોળા ઉત્સવ નું અનેરું મહાત્મય છે .નિષ્કુળાનંદ સ્વામી એ બાર બારણાંના  વડતાલ જ્ઞાનબાગ માં ભગવાન શ્રી હરિ એ  ઝુલાવવામાં આવ્યા હતા ભગવાને દરેક બારણાં માંથી હરિભક્તો ના લાકડી ના સહારે હાર સ્વીકાર્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાય માં અષાઢ વદ બીજ થી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં હરિભક્તો ભગવાન શ્રીહરિ તે ફળ ફૂલ ચોકલેટ પેન્સિલ રબર તથા અનેક વિવિધ આઇટમોના હાંડલા ભણાવીને પ્રભુને હિંડોળે ઝુલાવવામાં આવે છે વડતાલ મંદિર માં ચાલુ વર્ષે તૈયાર કરવામાં આવેલ હિંડોળામાં નીલકંઠ વર્ણી  નું વનવિચરણ 12 બારણાંનો પ્રસાદીનો હિંડોળે ઝૂલતા શ્રીહરિ છ ધામ ના દેવો ના હિંડોળા ચાલુ વર્ષે નવેમ્બર માસ માં ઉજ્વાનારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રીહરિ એ અમદાવાદ ,વડતાલ, લોયા, ગઢડા, સાળંગપુર, કારિયાણી ના વચનામૃતની  ઝાંખી કરાવતા દ્રશ્યોઆબેહૂબ રીતે તૈયાર કરવામાં આવેલા છે . l.E.D.        દ્વારા અનેક વિધ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે જેમાં નાના ભૂલકાં હરિભક્તોને ભગવાન શ્રી હરિ હાથો હાથ લાડુનો પ્રસાદ આપતા શ્રી હરિ અનેરું આકર્ષણ છે .
પ્રવેશદ્વાર પર વૃક્ષો ઊભા કરીને પર્યાવરણ રક્ષણનો સંદેશ આપ્યો છે. સ્વાગતમાં વૃક્ષના રોપા આપવાની શરૂઆત વડતાલ સંસ્થાની આનોખી પહેલ છે . 36 ગામ ના સ્વયં સેવકો સેવામાં રહેશે. શ્રી ઘનશ્યામભાઈ ખાંધળી વાળાએ સેવાની હેટ્રિક કરી છે 

SHARE

Author: verified_user

0 comments: