વડતાલ ખાતે ઇન્ડિયન
જર્નાલીસ્ટ યુનિયનના નવમા ત્રિદિવસીય
પ્લેનરી સેશનને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
ખુલ્લુ મુકશે
નડિયાદતા29-ઇન્ડિયન
જર્નાલીસ્ટ યુનિયન, દિલ્હી દ્વારા સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે યોજાનાર નવમા
ત્રિદિવસીય પ્લેનરી સેશનનું તા.૦૧/૦૬/૨૦૧૯ને શનિવારના રોજ સવારે ૧૦/૦૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. આ સેશન ગુજરાત જર્નાલીસ્ટ
યુનિયનના યજમાન પદે યોજાઇ રહયું છે. આ સેશનમાં ભારતભરના ૩૦૦ ઉપરાંત ગુજરાતના ૧૦૦ જેટલા
પત્રકારો ભાગ લેશે. મુખ્યમંત્રીના હસ્તે પત્રકારત્વના વિવિધ ક્ષેત્રોમાં
ઉત્કૃષ્ટ કામગીરી બદલ પત્રકારોનું સન્માન કરવામાં આવશે. આ અવસરે ભગવાન સ્વામિનારાયણ
લિખિત વચનામૃતના ૨૦૦ વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે.
આ અવસરે ગુજરાત સહિત સહિત દેશભરના પત્રકારો, પદાધિકારીઓ હાજર
રહેશે.
કલેકટર કચેરી ખાતે કલેકટર સુધીર પટેલના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીના
વડતાલ ખાતેના કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં
કલેકટરએ સબંધિત વિભાગોને કરવાની થતી કામગીરી અસરકારક રીતે કરવા સૂચનાઓ આપી
હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક
કલેકટર રમેશ મેરજા સહિત સબંધિત અધિકારીઓ હાજર રહયા હતાં.
0 comments: