આણંદ પ્રેસ ક્લબ સભ્યો દ્વારા અમદાવાદના પત્રકારની હત્યાના ઘટના બની તે વખોડી કાઢી તેને લઈ આણંદ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું
પ્રિન્ટ મિડીયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો, કેમેરામેન અને ફોટોગ્રાફરોએ તેમજ મીડિયાના પ્રતિનિધિઓએ આણંદ ટાઉનહોલ પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે બે મિનિટનું મૌન પાડી ને શ્રદ્ધાંજલિ આપી
આ મામલે આણંદ કલેક્ટરને આણંદ પ્રેસ ક્લબ ના પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
તાજેતરમાં અમદાવાદ માં ખાનગી ટીવી ચેનલના પત્રકાર ઉપર ફરજ બજાવતો હતો ત્યારબાદ ઘરે જતા હત્યા થવા પામી હતી આથી પત્રકાર ઉપર થયેલ હુમલો અને મોતની ઘટનાને લીંબડી ના પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયા એ વખોડી કાઢી હતી તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય અને હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઈને ન્યાયીક તપાસની માંગ ઉઠાવી હતી
તેમ છતાં આ મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આણંદ પ્રેસ ક્લબ ના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા કાર્યક્રમ બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે


0 comments: