શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નડિયાદ ખાતે દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ના ભક્તોએ દર્શન કર્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગૃહ ને દીવા અને સાથીયા થી શણગારવામાં આવ્યું. અને બપોરે 12:00 કલાકે અન્નકૂટ આરતી કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.
દાદા ને પરંપરા મુજબ સુખડીનો ભોગ જમાડવામાં આવ્યો.
આ મંદિર 142 વર્ષ જૂનું છે
જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિર માં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદા ને મહા ભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અનોખા દર્શનનો લાભ લેવા સવારથી સાંજ સુધી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
સંકલન:કલ્પેશ પટેલ, નડિયાદ
મો:-9879407774,
9979407774
0 comments: