નડીઆદના પીપલગ ગામનું ગૌરવ
આણંદ જિલ્લાના મહેળાવ ગામ પાસે આવેલ ઘૂટેલી ગામે આવેલ કૃષ્ણાશ્રય આશ્રમ યમુનાજી હવેલીમાં ઉમેશભાઈ શાસ્ત્રી જી ના જન્મ દિવસ નિમીતે ભજન મંડળીઓ દ્વારા સુંદર ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ગામની 15 જેટલી ભજન મંડળીઓએ ભાગ લીધો હતો, સ્પર્ધા પત્યા બાદ શાસ્ત્રી જી ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર બાદ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમે ગાયત્રી સખી મંડળ વિદ્યાનગર.બીજા ક્રમે કંસારા ભજન મંડળ નડિયાદ, જ્યારે રણછોડરાય સખી મંડળ ત્રીજા ક્રમે આવી પીપલગ ગામનું ગૌરવ વધાર્યું હતું, આશ્રમ દ્વારા વિજેતા બનેલ મંડળ ને પ્રોત્સાહન રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.
સંકલન-કલ્પેશ પટેલ,નડિયાદ
મો-9879407774
0 comments: