Sunday, 5 February 2023

પૂ.મહાત્મા ગાંધીની ૭૫ મી પૂણ્યતિથિએ ગાંધી ચિત્રકથા પુસ્તકનું વિમોચન: આ પુસ્તક પ્રકાશનમાં વલ્લભ વિદ્યાનગરનું સવિશેષ યોગદાન

SHARE
પૂ.મહાત્મા ગાંધીની ૭૫ મી પૂણ્યતિથિએ ગાંધી ચિત્રકથા પુસ્તકનું વિમોચન: આ પુસ્તક પ્રકાશનમાં વલ્લભ વિદ્યાનગરનું સવિશેષ યોગદાન
પ્રકાશક ગુરુ બંધુઓનું નવી દિલ્હી ખાતે કરાયું બહુમાન


મહાત્મા ગાંધીની ૭૫ મી પૂણ્યતિથિએ ગાંધી ચિત્રકથા નામના સચિત્ર પુસ્તકનું  નવી દિલ્હી ખાતે વિવિધ ૧૯ ભાષાઓમાં લોકાર્પણ કરી પૂજ્ય બાપુને નોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પુસ્તક પ્રકાશનમાં વલ્લભ વિદ્યાનગરનું પણ સવિશેષ યોગદાન રહ્યું છે. વિદ્યાનગર સ્થિત  ગુરુ ડિઝાઇન શોપમાંથી આ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે.

લેખિકા અને ચિત્રકાર શ્રીમતી સરલાદેવી મઝુમદાર દ્વારા  લખાયેલા પુસ્તક ગાંધી ચિત્રકથાને અન્ય ૧૬ ભારતીય અને ત્રણ વિદેશી ભાષામાં ડિઝાઇન -પ્રિંટિંગ અને પ્રકાશન કેતન રાજ્યગુરુ અને ભરત રાજ્યગુરુ (ગુરુબંધુ) એ એમના વલ્લભ વિદ્યાનગર સ્થિત ગુરુ ડિઝાઇન શોપ માંથી પ્રકાશિત કર્યાં છે. કુલ ૧૯ ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તકોનું તાજેતરમાં  મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે નેશનલ ગાંધી મ્યુઝિયમ, રાજઘાટ, ન્યૂ દિલ્લી ખાતે ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને આઈ.સી. સી. આર.ના ચેરમેન ડો. કરણ સિંહના હસ્તે વિમોચન કરવામાં  આવ્યું હતું.

     આ સમારંભનાં પ્રમુખ નેશનલ ગાંધી મ્યુઝીયમનાં ચેરપર્સન અને પૂ. બાપુનાં પૌત્રી શ્રીમતી તારા ગાંધી ભટ્ટાચાર્ય દ્વારા ભારતના ખૂણે ખૂણેથી આવેલા ૯ અનુવાદકો અને પ્રકાશક ગુરુબંધુઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.


સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો/9879407774
SHARE

Author: verified_user

0 comments: