Tuesday, 16 April 2019

આણંદ જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા શ્રમયોગીઓ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન ... મતદાન કરવા માટે શ્રમિકોને સંકલ્પ કરાવડાવ્યો

SHARE
આણંદ જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા શ્રમયોગીઓ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન




મતદાન કરવા માટે શ્રમિકોને સંકલ્પ કરાવડાવ્યો
આણંદ– આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯નું મતદાન ૨૩-૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે .ગત ૧૬મી લોકસભા ચૂંટણીમાં ૬૪.૬૩ ટકા કુલ મતદાન નોંધાયુ હતુ. આ ૧૭ મી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવાર-નવાર વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેના ભાગરુપે શ્રમિક વર્ગ  જેઓ ઇંટના ભઠ્ઠાપર કામ કરીનેપોતાનુ ગુજરાન ચલાવે છે તેઓ પણ પોતાના હક થી સજાગ થાય અને મત કરવા જોડાય તે હેતુસર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ મતદાન અચૂકથી કરશુ તેવો સંકલ્પ કરાવડાવ્યો હતો
SHARE

Author: verified_user

0 comments: