સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મુકામે નિઃશુલ્ક સારવાર આપતી શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્યરત છે પ્રતિદિન 350 જેટલા દર્દીઓ અહીં આરોગ્ય સેવા પ્રાપ્ત કરે છે
આ હોસ્પિટલમાં દાતાઓનો સહયોગ અવિરત મળી રહ્યો છે તેમાં એક આગવું નામ ઉમેરાયું છે પ્રવીણભાઈ પટેલ - વડદલા હાલ લંડન આજરોજ તેઓએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ના સાનિધ્યમાં ગાદીપતિ પ.પૂ.ધ.ધૂ.1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ - મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી તથા ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી ને એક કરોડ જેટલી માતબર રકમ નો ચેક અર્પણ કરીને દર્દીઓની સેવા માં સહભાગી થવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ગણેશભાઈ ડુંગરની વગેરે કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા હતા

0 comments: